19 મે, 2015

"કોઇ કાંચનો ગ્લાસ તો કોઇ ખાય છે 1 કિલો રેતી,આ છે વિચિત્ર માણસો"

વિશ્વમાં વિચિત્ર પ્રકારના એવા લોકો છે, જેઓ સામાન્ય માણસોની જેમ ભોજન તો લે છે, પરંતુ તેમનુ ભોજન કંઇક વિચિત્ર જ હોય છે. કોઇક ઇંટ ખાય છે તો કોઇ કાંચનો ગ્લાસ, એવામાં લોકોને આશ્ચર્ય એ વાતનું થાય છે કે આ લોકો આવી વસ્તુઓ ખાવાને કારણે બિમાર કેમ નથી પડતા અને તેઓ આ બધુ ખાયને જીવી કઇ રીતે રહ્યાં છે? તાજેતરનો કિસ્સ શાહજહાંપુરની સુદામાદેવીનો છે. જે રોજ એક કિલો રેતી ખાય છે.
સુદામાદેવીના મિત્રોએ બાળપણમાં તેમની સમક્ષ રેતી ખાવાની શરત મૂકી હતી અને તેમણે રેતી ખાયને શરત જીતી પણ લીધી હતી. જોકે રેતી ખાવાની ટેવ હજીસુધી છુટી નથી. તેમણે લગ્નમાં પણ પોતાના માટે ભોજન તરીકે રેતી જ મંગાવી હતી. તેઓ કહે છે કે વર્ષોથી તેઓ રેતી ખાય છે પરંતુ તેમને કોઇ બિમારી નથી થઇ.

કાનપુરનો ગ્લાસમેન

કાનપુરમાં દશરથ નામનો વ્યક્તિ કાંચના ગ્લાસને દાંતથી તોડીને ખાય છે. આ અંગે ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેની નોંધ લીધી છે. તેને મળવા માટે ઘણા પ્રવાસીઓ પણ આવતા રહે છે. તેના ગ્લાસ ખાવાને સમયે ઘણી ભીડ તેની આજુબાજુ જોવા મળતી રહે છે. તે છેલ્લા 15 વર્ષોથી આમ કરે છે. તે વિજળીનો બલ્બ પણ ખાઇ જાય છે. વ્યવસાયે તે એક માછીમાર છે.

કર્ણાટકનો ઇંટ ખાનારો વ્યક્તિ

કર્ણાટકનો 31 વર્ષિય પક્કિરપ્પા હુનાગાંડી 10 વર્ષની વયથી આખી ઇંટ ખાય છે. તે પોતાના બાળકોની સામે પણ આરામ કરે છે. તે દાવો કરે છે કે તેને કોઇ બિમારી નથી અને તે પોતાનો સામાન્ય ખોરાક છોડી શકે છે. પરંતુ ઇંટ ખાવાની ટેવ તે છોડી શકતો નથી.                  

પંજાબનો સુરિંદર કુમાર ખીલીઓ અને સિક્કાઓને સરળતાથી ખાઇ  જાય છે.

પંજાબનો સુરિંદર કુમાર ખીલીઓ અને સિક્કાઓને સરળતાથી ખાઇ, જાય છે, તે પોતે એક હોટલ ચલાવે છે અને ત્યાં તેને આમ કરતા જોઇ શકાય છે. 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2015






Education Update Date.19.05.2015










18 મે, 2015

ગુજરાત

🙏🙏

ગુજરાત પાસે ભલે ગાઢ જંગલો નથી, તો પણ એવા જંગલો તો ઘણાય છે, જેમાં પ્રવાસીઓને આનંદ મળી શકે એમ છે. એક દિવસથી લઈને અઠવાડિયું ફરી શકાય એવુ વનવૈવિધ્ય ગુજરાત પાસે છે. જરા નજર દોડાવાય ત્યાં પહોંચી શકાય એવા કેટલાક વન્ય સ્થળોની વાત..


હિંગોળગઢ (રાજકોટ)

જસદણ એક સમયે રજવાડુ હતું. તેની ભાગોળે જ હિંગોળગઢ આવેલું છે. હિંગોળગઢનું જંગલ તો માત્ર સાડા છ ચોરસ કિલોમીટરનું જ છે, પણ તેમાં સજીવોનું ભારે વૈવિધ્ય છે. એકાદ ટેકરી પરથી ઉછળ-કૂદ કરતાં હરણ સરળતાથી જોઈ શકાય એમ છે, તો વળી સાપ-અજગર અહીંના વિશેષ ગૃહોમાં રાખવામાં આવ્યા છે. જંગલ નાનું છે, એ મુદ્દો તેનો પ્લસ પોઈન્ટ બની શકે એમ છે, કેમ કે નાનુ છે, એટલે જ સરળતાથી આખુ ફરી શકાય એમ છે.
શિવાજીના કિલ્લાની યાદ અપાવે એવો ગઢ જંગલની પાસેની ટેકરી પર બંધાયેલો છે. ૧૮૦૧માં જસદણના વજાસૂર ખાચરે એ મહેલ બંધાવ્યો હતો. તેની ઊંચાઈ ૧૧૦૦ ફીટ છે, એટલે ત્યાં પહોંચ્યા પછી આસપાસનો વિસ્તાર જોવાની પણ મજા પડે એમ છે. કિલ્લામાં રાજાશાહી વખતનો ઈતિહાસ સચવાયેલો છે.
વહેલી સવારે પહોંચી, મોડી સાંજ સુધી અહીં રખડીને એક દિવસનો સરસ પ્રવાસ કરી શકાય એમ છે.

અહીં ક્યા સજીવો જોવા મળશે?
વિવિધ જાતના પક્ષીઓ
સાપ-અજગર
હરણ
નિલગાય
શાહૂડી

કઈ રીતે પહોંચવુ?
હિંગોળગઢ અમદાવાદથી ૧૮૦ કિલોમીટર અને રાજકોટથી ૬૫ કિલોમીટર જ દૂર છે. જસદણ હાઈવે પર હોવાથી ત્યાં જવાના વાહનો મેળવવા કે વાહન લઈને જવું જરા પણ મુશ્કેલ નથી.

સંપર્ક
રેન્જ ફોરેસ્ટ ઓફિસર (હિંગોળગઢ) - ૯૮૨૫૨૨૬૪૦૩
ગીર ફાઉન્ડેશન (ગાંધીનગર) -  ૦૭૯-૨૩૨૨૧૩૮૫
* * * * *

નારાયણ સરોવર (કચ્છ)
નારાયણ સરોવર તેના ધાર્મિક પ્રવાસન માટે જાણીતું છે જ. પરંતુ સરોવરના કાંઠે અને આસપાસમાં વિવિધ પંદરેક એવા સજીવો વસે છે, જે બીજે ક્યાંય સરળતાથી જોવા મળી શકે એમ નથી. નારાયણ સરોવર પાસે ચિંકારા હરણ જોવા મળે છે, જેમાં નર ઉપરાંત માદાના માથા પર પણ શિંગડા ઉગેલા જોવા મળે છે. બીજે ક્યાંય આવા હરણનો વસવાટ નથી. અહીં હની બેજર નામનું સજીવ જોવા મળે છે, જે ગિનેસ બૂક ઓફ રેકોર્ડ પ્રમાણે જગતનું સૌથી નિર્ભિક પ્રાણી છે. હની બેઝરનું કામ નામ પ્રમાણે મધપૂડા પર આક્રમણ કરીને મધ આરોગવાનું છે. ભારતમાં હવે તો ચીતા જોવા મળતાં નથી, પણ વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાના અંદાજ પ્રમાણે ભારતમાંથી ચિત્તા નષ્ટ થયાં પહેલા તેનો છેલ્લો કુદરતી આવાસ નારાયણ સરોવર આસપાસ હતો.

સજીવો
ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ
ચિંકારા
મધિયો (હની બેઝર)
કિડીખાઉં
જંગલી બીલાડી (ક્રેકલ)
કાળા તેતર

કઈ રીતે પહોંચવુ?
નારાયણ સરોવર છેક પાકિસ્તાન સરહદ પાસે આવેલું છે, એટલે ત્યાં સુધીનો પ્રવાસ પણ મજેદાર બની શકે એમ છે. ભુજથી સરોવર ૧૫૦ કિલોમીટર દૂર છે. અહીંથી સરકારી કે ખાનગી વાહન દ્વારા જઈ શકાય એમ છે. ભુજ ગયા વગર ત્યાં પહોંચી ન શકાય.

સંપર્ક
આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ભુજ) ૦૨૮૩૨ ૨૩૦૭૬૬
* * * * *
૩.
ઈન્દ્રોડા પાર્ક
ગાંધીનગર જનારા અનેક લોકો ઈન્દ્રોડા પાર્કના દરવાજેથી પસાર થતાં હશે. માટે અહીં પહેલી નજરે કશુંય નવીન લાગે નહીં. છતાં પણ ઈન્દ્રોડા જગતનો એક માત્ર પાર્ક છે, જે મુલાકાતીઓને સાડા છ કરોડ વર્ષ પહેલાનાં વિશ્વમાં લઈ જઈ શકે છે. અહીં ડાઈનાસોરના ઈંડા અને અવશેષો રાખવામાં આવ્યા છે. દુનિયામાં ઈન્દ્રોડાની માફક સરળતાથી ડાયનાસોરના ઈંડા-અવશેષોને જોઈ-સ્પર્શી શકાય એવી સગવડ બીજે ક્યાંય નથી. વાઘ-દીપડા સહિતના સજીવો અહીંના પ્રાણી સંગ્રહાલયમાં છે, પણ વધારે આકર્ષક તો વ્હેલ માછલીનું સોએક ફીટ લાંબુ અસ્થિમાળખું છે. વ્હેલ ખરેખર કેવડી હોય તેનો અંદાજ એ હાડપિંજર જોયા શિવાય આવી ન શકે. કહેવા માટે ઈન્દ્રોડા કૃત્રિમ જંગલ છે, પણ છતાંય માણવાલાયક તો છે જ.

સજીવો
- પ્રાણી સંગ્રહાલય હોવાથી અનેક પ્રકારના સજીવો છે.
- બોટાનિકલ ગાર્ડન છે.
- વ્હેલ માછલીનું હાડપિંઝર
- ડાયનાસોરના અવશેષો

કઈ રીતે જઈ શકાય?
ઈન્દ્રોડા ગાંધીનગર અને અમદાવાદથી જવા માટે અનેક પ્રકારના ખાનગી-સરકારી વાહનો મળી રહે છે. પાર્કનો સમય સવારના ૮થી સાંજના ૬ સુધીનો છે. દર સોમવારે પાર્ક બંધ રહે છે.

સંપર્ક
ઈન્દ્રોડા પાર્ક - ૦૭૯-૨૩૨૨૦૫૬૦
* * * * *

રતનમહાલ (દાહોદ)
પ્રાથમિક શાળામાં ભણાવાયેલી કવિતા, રીંછ એકલું ફરવા ચાલ્યુ.. અહીં નજરોનજર જોઈ શકાય એમ છે. ગુજરાતમાં રીંછની સારી એવી સંખ્યા છે, પરંતુ લો-પ્રોફાઈલ સજીવ હોવાથી એ સરળતાથી દેખાતુ નથી. જોકે છેલ્લા એકાદ દાયકાથી રીંછ જંગલ બહાર નીકળી હુમલો કરી બેસતા હોય એવા થોડા બનાવો નોંધાયા છે. રીંછના દર્શન કરવા હોય તો રતનમહાલના જંગલોની મુલાકાત લેવી રહી. મહુડાના વૃક્ષોની બહુમતી ધરાવતો આ વન વિસ્તાર આમ તો ૫૫ ચોરસ કિલોમીટરનો જ છે, પણ સૌથી વધુ રીંછ અહીં જ છે.

સજીવો
- રીંછ
- શિયાળ
- દીપડા
- ઉડતી ખિસકોલી
- ઝરખ

કઈ રીતે પહોંચવુ?
અહીં જવાનો આદર્શ સમય ઓક્ટોબરથી મે મહિના સુધીનો છે. વડોદરાથી રતનમહાલનું જંગલ ૧૭૦ કિલોમીટર દૂર છે. દાહોદ ૭૦ અને ગોધરા અહીંથી ૮૫ કિલોમીટર દૂર છે. બારિયા ૩૦ કિલોમીટર અને ખેડા ૪૫ કિલોમીટર દૂર છે.
સંપર્ક
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (બારિયા) -  ૦૨૬૭૮૨૨૦૪૨૫
* * * * *


વેળાવદર (ભાવનગર)
કાળિયાર માટે જાણીતા વેળાવદર વિશે જાણવા જેવી હકીકત એ પણ છે, કે એ વિશ્વનો સૌથી મોટો કાળિયાર પાર્ક છે! કાળિયારના ટોળાંને ટોળાં જોવા અહીં મુશ્કેલ નથી. જરૃર પડયે ૮૦ કિલોમીટરની ઝડપે દોડી શકતા કાળિયાર ભારત અને પાકિસ્તાનમાં વધારે જોવા મળે છે. એમાનું એક મહત્ત્વપૂર્ણ સ્થળ વેળાવદર છે. એક સમયે ભાવનગરના રાજવીઓ અહીં ચિત્તાઓ સાથે હરણોનો શિકાર કરવા આવતા હતાં.

સજીવો
કાળિયાર
નીલગાય
ઝરખ
લીખ નામનું પક્ષી

કઈ રીતે પહોંચવુ?
અમદાવાદથી ભાવનગર જતી વખતે જ રસ્તામાં વેળાવદરનો માર્ગ ફંટાય છે. વલભીપુર અહીંથી ૩૨ કિલોમીટર છે, ભાવનગર ૭૫ કિલોમીટર છે અને અમદાવાદ ૧૫૦ કિલોમીટર છે. પાર્કમાં જ વન વિભાગના ગેસ્ટહાઉસ સહિતની સગવડ છે, જે અંગે અગાઉથી સંપર્ક કરીને જાણકારી મેળવી શકાય છે.

સંપર્ક
ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વેળાવદર) -  ૦૨૭૮ ૨૪૨૮૬૪૪
બહુમાળી ભવન (ભાવનગર) - ૦૨૭૮-૨૪૨૬૪૨૫
* * * * *


ભરતવન (જૂનાગઢ)
ગીરનાર એટલે અંબાજી અને અંબાજી એટલે ગીરનાર એવી વ્યાપક માન્યતા છે. એ ખોટી છે. અંબાજી ગીરનારનું માત્ર એક જ ધામ છે અને ધાર્મિક પ્રવાસનો ખાસ આગ્રહ ન હોય તો અંબાજી જવા જેવું પણ નથી. અંબાજીને બદલે ગીરનારમાં જવા જેવી જગ્યા ભરતવન અને સિતાવન છે. માન્યતા પ્રમાણે રામના વનવાસ દરમિયાન ભરતે અહીં રામનું મંદિર સ્થાપ્યુ હતું. સિતાવન જવા માટે સીડી છે અને ત્યાંથી ટ્રેકિંગ કરી શકાય એવો ઉબડ-ખાબડ પણ જંગલનો કાયદેસર અહેસાસ કરાવે એવો રસ્તો છે. ભરતવનનો આશ્રમ મોટો છે અને કોઈ પણ જાતના ચાર્જ વગર અહીં રાત રોકાઈ શકાય છે. ભરતવન એકમાત્ર એવુ સ્થળ છે, જ્યાંથી ગીરનારનો બેકસાઈડ વ્યૂ જોઈ શકાય છે. એક વખત ભરતવન-સિતાવનની મુલાકાત લીધા પછી જ ખબર પડે કે હિમાલય કરતાંય જૂના ગીરનારની ખરી સમૃદ્ધિ શું છે..

કઈ રીતે પહોંચાય?
ભારતવન સુધી જવા માડે અંદાજે અઢી હજાર પગથિયા ચડવા પડે છે. અહીં બહુ ઓછી ભીડ હોવાથી પ્રવાસની પણ અલગ મજા છે. જૂનાગઢમાં ગીરનારની તળેટીમાંથી જ ભરતવન જતી સીડી અલગ પડે છે. અંબાજીથી પણ એક સીડી દ્વારા જઈ શકાય છે. પણ જૂનાગઢ પહોંચવુ મહત્ત્વનું છે.વહેલી સવારે સીડી ચડવાનું શરૃ કરી અજવાળું થાય ત્યાં સુધીમાં ભરતવન પહોંચી શકાય છે. અથવા તો બાપોર પછી સીડી ચડી બે હજાર ફીટની ઊંચાઈએ રાત રોકાવાનો આનંદ લઈ શકાય છે.
* * * * *



સાસણ (જૂનાગઢ)
સાસણને કોઈ ઓળખની જરૃર નથી. સિંહો માટે એ વિશ્વવિખ્યાત સ્થળ છે. ૧૪૧૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા ગીર નેશનલ પાર્કમાં ૪૦૦થી વધારે સિંહો છે અને એ સિવાય અઢળક પ્રાણીઓ છે. સિંહો સિવાય ઘણુંય જોઈ-રખડી શકાય એમ છે. ગીરની મજા લેવાનો એક રસ્તો ગીર આરપાર પ્રવાસ કરવાનો છે. ધારી પાસેના દલખાણિયાથી દાખલ થઈને સામા છેડે જામવાળા નીકળી શકાય છે. એ રસ્તો ગીરના બરાબર બે ભાગ કરે છે. બન્ને છેડે આવેલી ચેક પોસ્ટ પર નોંધણી કરાવીને એ રસ્તેથી પસાર થઈ શકાય છે.

સજીવો
સિંહ
દીપડા
કોબ્રા
શિયાળ
ચૌશિંગા
કાળિયાર
મગર

કઈ રીતે પહોંચવુ?
સાસણથી જૂનાગઢ ૬૦ કિલોમીટર અને અમરેલી ૬૫ કિલોમીટર દૂર છે. દીવ નજીકનું એરપોર્ટ છે, ૧૧૦ કિલોમીટર. વેરાવળ ૪૦ કિલોમીટર, રાજકોટ ૧૬૦ અને અમદાવાદ ૪૧૦ કિલોમીટર દૂર છે. ચોમાસાને કારણે દર વર્ષે ૧૫ જુનથી ૧૫ ઓક્ટોબર સુધી જંગલ બંધ રહે છે.
ગીર આરપાર નીકળતા રસ્તેથી પસાર થવા માટે ધારી અથવા જામવાળા જવું પડે. જૂનાગઢથી ધારી ૮૦ અને જામવાળા ૯૦ કિલોમીટર દૂર છે. પરંતુ ગીરની આરપાર નીકળવું હોય તો વહેલી સવારે પ્રવાસ શરૃ કરવો હિતાવહ છે. સાંજ પડયે ગીરના દરવાજા બંધ થયા પછી એ રસ્તો વાપરી શકાતો નથી.

સંપર્ક
સિંહ સદન (સાસણ) - ૦૨૮૭૭-૨૮૫૫૪૧
ડીસીએફ (જૂનાગઢ)- ૦૨૮૭૭-૨૮૫૬૨૧
* * * * *


પૂર્ણા અભયારણ્ય (ડાંગ)
પૂર્ણા નદીના કાંઠે ફેલાયેલુ ગાઢ, વરસાદી જંગલ પૂર્ણા અભયારણ્યમાં જઈને જોઈ શકાય છે. જંગલી સજીવો કરતાં પૂર્ણાનું જંગલ ત્યાંના વૃક્ષ વૈવિધ્ય માટે વધારે પ્રચલિત છે. સિસમ સહિતના કદાવર અને તોતિંગ વૃક્ષો અહીંના જંગલમાં થાય છે. તો દીપડાઓની વસતી પ્રવાસીઓને ડરાવવા માટે પુરતી છે. પૂર્ણાના જંગલોમાં વરસે ૨૫૦૦ મિલિમીટર કરતાં વધારે વરસાદ પડે છે અને એટલે જ અહીં ગુજરાતના સૌથી ગાઢ જંગલો છે.

સજીવો
દીપડા
રીંછ
શિયાળ

કઈ રીતે પહોંચવુ?
૧૦૦ કિલોમીટર દૂર આવેલું સુરત સૌથી નજીકનું મોટું શહેર છે. વ્યારા સુધી રેલવે દ્વારા જઈ શકાય છે. વ્યારા ૨૦ જ કિલોમીટર દૂર છે.

સંપર્ક
ડીસીએફ (આહવા) - ૦૨૬૩૧-૨૨૦૨૦૩
* * * * *



મરીન નેશનલ પાર્ક (જામનગર)
જામનગર પાસે આવેલું દરિયાઈ ઉદ્યાન દેશનું પહેલું મરીન પાર્ક હતું. જમીન પરના જંગલો કરતાં આ જંગલ અલગ છે કેમ કે આ પાણીમાં છે. તેનાં સજીવો પણ અલગ છે અને અનુભવ પણ અલગ છે. દરિયાઈ જીવો ઉપરાંત પરવાળા ખડકો અહીં જોવા મળે છે. આખો પાર્ક ૪૨ ટાપુુમાં વિસ્તરેલો છે અને સ્વાભાવિક રીતે ત્યાં માત્ર હોડી દ્વારા જઈ શકાય છે.
કઈ રીતે પહોંચવુ?
જામનગર પહોંચ્યા પછી બેડી બંદરેથી પાર્કમાં જઈ શકાય છે.

"ગૂગલની નવી ઓફિસ, માનવનિર્મિત આકાશ, દિવસમાં બે વખત ફ્રી લંચ"

www.google.com દુનિયાનુ સૌથી મોટી સર્ચ એન્જિન વેબસાઇટ છે. ગૂગલ પર યુઝર્સની કોઇ પણ સમસ્યાનુ સમાંધાન એક ક્લિકે મળી જાય છે. એજ કારણથી કોમ્પ્યુટર હોય કે મોબાઇવલ, ગૂગલનો ઉપયોગ બીજા સર્ચ એન્જિન કરતા વધારે થાય છે. કંપનીની ખાસ વાત એ પણ છે કે તેના કર્મચારીઓ ની સારી કેર કરે છે. સાથે સાથે કર્મચારીઓની સુવિધાનો ખાસ ખ્યાલ રાખે છે. હાલમાં ગૂગલ અમેરિકાના કેલિફોર્નિયા ખાતે પોતાની નવી ઓફિસ બનાવવા જઇ રહી છે. કંપનીએ પોતાની ઓફિસ નવી ઓફિસના કેમ્પસના ફોટોસ શેયર કર્યા છે. ફોટોઝમાં દેખાડવામાં આવ્યુ છે કે કેમ્પસમાં ઓર્ટિફિસિયલ સ્કાય બનાવવામાં આવ્યુ છે. સાથેસાથે કર્મચારીઓ માટે સાયકલિંગ પાથ પણ બનાવવામાં આવ્યો છે. આ ઓફિસ કેમ્પસમાં દરવાજા, સીડિઓ, દિવાલ અને ટેરેસ નથી. તમને જણાવી દઇએ કે ઓફિસના કંસ્ટ્રક્શનનુ કામ હાલમાં પણ ચાલુ છે. યુરોપના આર્કિટેક્ચર firms Bjarke Ingels Group અને Heatherwick Studio મળીને તેને કંસ્ટ્રક્શન કરી રહ્યા છે.
ગૂગલના જણાવ્યા પ્રમાણે આર્ટિફિશિયલ સ્કાઇ કાચના ચાર લેયરથી બનાવવામાં આવ્યુ છે. કેમ્પસમાં સીડિઓના બદલે સ્વિપિંગ રેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી કર્મચારીઓને સીડિઓ વધારે ચડ-ઉતરના કરવી પડે. તમને જણાવી દઇએ કે ગૂગલનુ હેડક્વાટર્સ પણ કેલિફોર્નિયામાં છે. કંપની કર્મચારીઓ પાછળ દર વર્ષે લગભગ 72 મિલિયમ ડોલર એટલે કે લગભગ 445 કરોડ 53 લાખ રૂપિયાથી વધારે ખર્ચ કરે છે. કંપનીની પોલિસી પ્રમાણે તમામ કર્મચારીઓ માટે મફત ફોજનની વ્યવસ્થા પણ છે. કેમ્પસની અંદર આલીશાન કિચન છે. જેમાં નાસ્તો, જમવાનુ, કોલ્ડ્રિક્સ પણ મળે છે. કંપનીના કર્મચારીઓને દિવસમાં બે વખત ફ્રિમાં જમવાનુ આપવામાં આવે છે.

Education Update Date.18.05.2015